વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર શ્રીજીહાઈટસ સોસાયટી ના રહીશોએ રસ્તા અને પાણી બાબતે આવેદનપત્ર સુપ્રદ કર્યું
ગોવિંદપુરા પંચાયત માં આવેદનપત્ર આપી રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયત ના હદ વિસ્તારમાં આવેલ શ્રીજી હાઈટસ સોસાયટી વિસ્તારમાં પથરા નાખીને રસ્તો બંધ કરાતા તેમજ પીવાનું પાણી પણ બંધ કરવા માં આવતા રહીશો એ ગોવિંદપુરા જૂથ પંચાયત કચેરીએ જઈને પંચાયત તલાટી ને રોડ ગટર અને પીવાના પાણી ની સમસ્યા નો નિકાલ કરવા માટે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યુ હતુ આ અંગે સોસાયટી ના પ્રમુખ પીપી રાવ તેમજ મહેશભાઈ નાયી તેમજ કૃણાલ બારોટ તેમજ ચતુરભાઈ તેમજ સિધ્ધાર્થ બ્રહ્મભટ્ટ સહિત સોસાયટી ના રહીશો એ જણાવ્યું હતુંકે સોસાયટી વિસ્તારમાં સો જેટલા ફ્લેટ છે જેમાં 300 થી 500 જેટલા પરિવાર જનો છેલ્લા 12 વર્ષ થી રહે છે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી ની સમસ્યા તેમજ ગટર અને હાલમાં રસ્તો પણ બંધ હોવાથી અવર જવર માટે પરેશાની ઉભી થાય છે સમસ્યા નો સત્વરે નિકાલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામપંચાયત ના સૂત્રો એ જણાવ્યું હતું કે આવેદનપત્ર મળ્યું સમસ્યા નો ઝડપી નિકાલ લાવવામાં આવશે સોસાયટી ના રહીશો ની અગવડતા ટૂંક સમયમાં દૂર કરાશે જોકે રહીશો એ જો સમસ્યા નો નિકાલ ટૂંક સમયમાં નહીં લાવે તો આગામી દિવસો માં વધુ કાર્યક્રમ આપવામાં આવશે તેવો સોસાયટી ના રહીશો આક્રોશ વ્યક્ત કર્યો હતો