DEDIAPADA

ડેડીયાપાડા સાગબારા તાલુકાના કૉંગ્રેસના

ડેડીયાપાડા સાગબારા તાલુકાના કૉંગ્રેસના કાર્યકરોને જીવંત કરવા ફૈઝલ પટેલે મિટિંગ કરી

ડેડીયાપાડા iસાગબારા તાલુકાના કૉંગ્રેસના કાર્યકરોને જીવંત કરવા ફૈઝલ પટેલે મિટિંગ કરી

ઉભારીયા ગામે કોંગ્રેસ આગેવાન ફૈઝલ પટેલના હસ્તે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું


તાહિર મેમણ : 15/02/2024-જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરોને જીવંત કરવા માટે સ્વ . અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના આદીવાસી વિસ્તારો માં લોક સંપર્ક કરી રહયા છે અને કૉંગ્રેસના જુના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે ગત રોજ સાગબારા નાં ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મિટીંગ યોજી હતી અને આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. એ પ્રસંગે માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા ,સાગબારા શહેર પ્રમુખ જીતેન્દ્રસિંહ વસાવા,રામજીભાઈ તડવી, ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકર ને માર્ગદર્શન આપ્યું હતું.
બાદમાં સાગબારા તાલુકાના અંતરિયાળ ઉભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફૈઝલ પટેલના પ્રયાસ થકી રસ્તા અને સોલારની ગ્રાન્ટ ની ફાળવણી થઇ હતી જેથી લોકોની માંગણી હતી કે ફૈઝલ પટેલ ખુદ અહીં આવીને ખાતમુર્હૂત કરે જેથી તેઓ જ્યારે આજે સાગબારા ખાતે કાર્યકરોની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઉભારીયા ગામ ની મુલાકાત લઇ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કર્યુ હતું. વર્ષોથી ફૈઝલ અહમદ પટેલ સાગબારા ડેડીયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ને લાગણી કામગીરી કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ હવે તેમને ભાવિ સાંસદ ની નજરે લોકો જોઈ રહ્યા છે.ત્યારે હવે સાગબારા અને ડેડીયાપાડા ના કૉંગ્રેસના કાર્યકરો સહિત
લોકોમાં પણ એ વાત ચર્ચાઈ રહી છે કે ફૈઝલ પટેલ ભરૂચ લોકસભા ની બેઠક પર કૉંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે અને આદીવાસી વિસ્તારો મા મૃતઃપ્રાય બનેલ કૉંગ્રેસ પાર્ટી ને જીવંત કરે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!