જંબુસર તાલુકાના નોંધણા-વલીપોર વિસ્તારનો ખેડૂત, "સારોદ સ્ટર્લિંગ સેઝ" પાસે પંદર વર્ષથી ન્યાય માટે મારી રહ્યોછે વલખા.

જંબુસર તાલુકાના નોંધણા-વલીપોર વિસ્તારનો ખેડૂત, “સારોદ સ્ટર્લિંગ સેઝ” પાસે પંદર વર્ષથી ન્યાય માટે મારી રહ્યોછે વલખા.

તાલુકાના વલીપોર વિસ્તારમાં રસીકભાઈ વાઘેલા નામના ખેડૂતની બે થી અઢી એકર જમીન આવેલીછે. વર્ષો પૂર્વે “સારોદ સ્ટર્લિંગ સેઝ”દ્વારા રસિકભાઈની પાડોશમાં આવેલ જમીન “સેઝ” ના અધિકારીઓએ માટી ખોદ કામ લીધી હતી.

 જે જમીનમાં ઉંડાણ પૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની જમીનનુ મોટા પાયે ધોવાણ થતાં અઢીએકર જમીનમાં પાણીના ધસારાથી ઊંડી ખાઈ પડીને કાંસનુ સર્જન થતાં ખેતર બીન ખેડાણ બની જમીનમાં ખેતી નથતા પડતર બની ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યાછે.

જામીન બંજર અને પડતર બનતા ખેડૂતનો રોટલો છીનવાઈ જતા નિરાધાર બન્યોછે.

ખેડૂતે પેટીયું રડવા માટે કડિયા કામનો સહારો લઇ જીવન ગુજરાન કરવું પડી રહ્યુંછે.

નિરાધાર જગતના તાતે પંદર વર્ષથી વારંવાર સ્ટર્લિંગ સેઝ સારોદની બરોડા ઓફિસે અને જવાબદાર અધિકારીઓ તેમજ ભરૂચ, જંબુસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળેલ નથી.

ખેડૂતે હૈયાવળાર ઠાલવતા જણાવ્યુકે હૂ ગરીબ માણસ મહેનત મજૂરી કરી મારું પેટીયું રડુછુ, મારી પાસે કોર્ટ કચેરી કરી કેશ લડવાના પૈસા નથી.

 માટે સેઝના જવાબદાર અધિકારીઓ કે તાલુકાનું વહીવટી તંત્ર અને રાજકીય માણસો મારી વિનંતી ધ્યાને લઇ માનવતાના ધોરણે મને મદદ કરે એવી જૂહાર લગાવી રહ્યાના સમાચાર સાંપડ્યાછે.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!