નવસારી ખાતે ઝોન કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન અને એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર -મદન વૈષ્ણવ નવસારી
જિલ્લા શિક્ષણ અને તાલીમભવન ઇટાળવા, નવસારી ખાતે તા.૧૦ અને તા.૧૧ જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ ઝોન કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન અને એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિભાવંત અને સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકોની નયનરમ્ય કૃતિઓ આ પ્રદર્શનમાં રજૂ થશે.
જે અન્વયે આ કાર્યક્રમ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વિશાલનગરની સામે, ઇંટાળવા નવસારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાશે. આ અવસરે તેમની સાથે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, ગાંધીનગર જીસીઇઆરટીના નિયામકશ્રી ડી.એસ.પટેલ ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીના ડો. યોગેશભાઇ પટેલ દ્વારા જણાવાયું છે.