HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ મામલતદાર કચેરીમાં ચરાડવામાં શાકભાજીના વેચાણ માટે જગ્યા આપવા આવેદનપત્ર આપી કરી રજૂઆત

હળવદ મામલતદાર કચેરીમાં ચરાડવામાં શાકભાજીના વેચાણ માટે જગ્યા આપવા આવેદનપત્ર આપી કરી રજૂઆત


હળવદ તાલુકાના સૌથી મોટા ગામ એવા ચરાડવા ગામમાં શાકમાર્કેટની વ્યવસ્થા કરવા બાબતે આજે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં શાકભાજી વેચાણ કરતા વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષોથી ચરાડવાના પાદરમાં અમે શાકભાજી વેચાણ કરવા માટે બેસતા હતા પરંતુ ગ્રામજનોનો વ્યવહારીક પ્રસંગ તેમજ લગ્ન પ્રસંગ હોય ત્યારે અડચણરૂપ ન બનીએ તે માટે તળાવ કાંઠે અમને વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના વેપારીઓને પરેશાન કરવામાં આવે છે. જેથી કરીને ગ્રામ પંચાયત કચેરી શાકમાર્કેટની વ્યવસ્થા કરી આપે તેવી રજૂઆત કરી હતી. તો સાથે આજે મામલતદારને પણ શાકમાર્કેટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી. ચરાડવા પાસેથી હાઈવે નીકળે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. અને શાકભાજી વેચાણ કરતા વેપારીઓ પણ પાદરમાં જ વેચાણ કરતા હોવાથી પોલીસ દ્વારા અવાર નવાર પરેશાન કરવામાં આવી રહ્યાં છે. જેથી કરીને ચરાડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ શાકમાર્કેટની યોગ્ય વ્યવસ્થા કરી આપવા અને હળવદ મામલતદાર કચેરીમાં પણ શાકમાર્કેટની યોગ્ય વ્યવસ્થા કરી આપવા આજે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.

વિશાલ જયસ્વાલ હળવદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!