સાયલા તાલુકાના ધજાળા પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને કુદરતી હાજતે પણ ન જવા દેતો હોવાનું વિદ્યાર્થીઓ એ જણાવ્યું .વિદ્યાર્થીઓ ને સાવરણી થી માર તેમજ ધબ્બા મારતો હોવાનું ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જણાવ્યું .જે શિક્ષક પહેલા કન્યા શાળા ધજાળા માં હતો ત્યારે પણ સ્કૂલમાં નિયમિત ટાઈમ પર ન આવતો જે વિદ્યાર્થીના વાલી એ જણાવ્યું ત્યાર બાદ તે કુમાર શાળા ધજાળા ખાતે બદલી થતા તે સાયલા નજીક નો હોવાથી તેને બદલી કરવા આવા કુમળા બાળકો પર અવાર નવાર કુમળા બાળકો પર માર મારી અત્યાચારના પ્રયોગો કરતો હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.જે પહેલા નિયમિત સ્કૂલમાં ટાઈમે ન આવતો હોવાનું crc સુરેશભાઈને પણ જાણ કરવામાં આવી હતી.એક ધોરણ થી પાંચ ધોરણના કુમળા બાળકો પર આવા અત્યાચાર કરનાર શિક્ષકોને સજા મળવી જોવે.કુમળા ફૂલ જેવા બાળકોને કુદરતી હાજતે ન જવા દેતો હોવાથી વાલીઓની માંગ છે. આવા અત્યાચારી શિક્ષકને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા