માળીયાની જાજાસર અને દેવગઢ શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા અને દેવગઢ પ્રાથમિક શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ગોંડલ અક્ષર મંદિર કાગવડ ખોડલધામ , પરબ વાવડી જુનાગઢ સાયન્સ સીટી સકરબાગ તેમજ ગિરનાર પર્વત અને રાજકોટ રામવન શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ભાવેશભાઈ બોરીચા,હરદેવ ભાઇ કાનગડ હિના બેન સુતરીયા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.