મકરસંક્રાંતિ પર્વ નિમિતે ધાયલ થનારા પક્ષીઓને બચાવવાં પક્ષી બચાવો ટીમે સેવાનું કાર્ય કર્યુ.
સાબરકાંઠા…
મકરસંક્રાંતિ પર્વ નિમિતે ધાયલ થનારા પક્ષીઓને બચાવવાં પક્ષી બચાવો ટીમે સેવાનું કાર્ય કર્યુ…
મકરસક્રાંતિ (ઉતરાયણ) પર્વ નિમિતે પતંગ રસિયાઓ આકાશમાં રંગેરંગી પતંગ ઉડાવી ઉતરાયણ પર્વ ની ઉજવણી કરતા હોય છે. ત્યારે ઉતરાયણ પર્વ નિમિત્તે દોરીથી ધાયલ થતા પશુ પક્ષીઓને બચાવવાં પક્ષી બચાવો ટીમ દ્રારા ત્રણ દિવસ સુધી ઈડર શહેરમાં ધાયલ થનારા પક્ષીઓને સારવાર આપવા અભિયાન ચાલ્યું હતું. જેમા શિવ ઓર્થોપેડીક હોસ્પિટલના ડો. રાજેશ ડામોર વિમલસિંહ પરમાર, રિતેશ રાવલ, જયદીપસિંહ વાધેલા, પિયુષ સગર સહિતના અગ્રણીઓએ પક્ષીઓને બચાવવાં ગ્રુપ બનાવ્યું. જેમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ દિવસ સુધી ચાલેલા પક્ષી બચાવો અભિયાનમાં ૫૫ થી વધારે પશુ પક્ષીઓને બચાવયા હતા. ત્યારે ઉતરાયણ પર્વ નિમિત્તે દોરીથી ધાયલ થનારા પક્ષીઓને સારવાર આપનાર પક્ષી બચાવો ટીમનાં કાર્યને લોકોએ બિરદાવ્યું હતું…
રિપોર્ટર:-જયંતિ પરમાર