નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે બબ્બે પત્નીઓ ના પતિદેવે પત્નિ ઉપર ચપ્પુ થી હુમલો કર્યો
#######
પોતાની માતાના બારમા ની વિધિ માં પતિ ને પૂછયા વગર જતાં પતિદેવ નુ પત્નિ પ્રત્યે પોત પ્રકાશ્યું
########
પત્નિ એ પતિદેવ સામે પોલીસ મથક માં નોધાવી ફરિયાદ માનસીક ત્રાસ આપી પ્રતાડિત કરાતી હોવાની પત્નિ ની કેફિયત
########
આંગણવાડી વર્કર તરીકે કામ કરતી પત્નિ ને ઇજાગ્રસ્ત કરી જાન થી મારી નાખવાની ધમકી
#######
તાહિર મેમણ : નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાનાં પાટવલી ગામ ખાતે રહેતી અને આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી મહિલા પોતાની માતા નું મરણ થતાં તેના બારમા ની વિધિ માં પતિદેવ ને પૂછ્યા વગર જતાં પતિદેવ ધુવા પુવા થયાં હતાં અને પત્નિ પર ચપ્પુ થી હુમલો કરી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્નિ એ પોતાના પતિ સામે પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના પાટવલી ગામ ખાતે રહેતા આરોપી રામસીંગ ઉમારિયાભાઈ વસાવા ને એક પત્નિ હોવા છતાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી ફરિયાદી કુસુમબેન સાથે પ્રેમ સંબંધ બાંધતાં લગ્ન કર્યાં હતાં, અમુક સમય લગ્ન જીવન સુખ શાંતિ થી ચાલ્યા બાદ પતિદેવે પત્નિ ઉપર શારીરિક માનસીક ત્રાસ આપતા હોવાનું પત્નિ એ ફરિયાદ મા જણાવ્યુ છે, પત્નિ ની માતા નું મોત થતા તેના બારમા ની વિધિ માં પત્નિ તા 10 ની ના રોજ પોતાનાં પિયર ચિકદા ગામે ગઈ હતી જે 12 મી તારીખે પરત ફરી હતી, પોતાના પતિ ના ઘરે પરત ફરતા પતિદેવ પત્નિ પર ગુસ્સે ભરાયેલા અને ચપ્પુ લય પત્નિ ઉપર હુમલો કર્યો હતો જેમાં પત્નિ ને ઇજા પહોંચી હતી, પોતાનુ જીવ બચાવવા માટે પત્નિ ફળિયા મા બીજા ના ઘર માં ભરાઈ હતી, ત્યારે અન્ય લોકો એ વધુ માર માંથી તેણીને બચવેલ હતી, જેથી પતિ એ પોતાની પત્નિ ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી,આ મામલે પત્નિ આગણવડી વર્કર કુસુમબેન એ દેડિયાપાડા પોલીસ મથક મા પોતાના પતિ રામસીંગ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી પતિદેવ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.