NAVSARIVANSADA

શાળામાં દાતાઓ તરફથી બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા,

 

દાતાઓ તરફથી બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ 16 જાન્યુઆરીના રોજ શાળામાં દાતાઓ તરફથી બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં વિવેક જયંતિલાલ પટેલ , ગોરગામ નિવાસી તથા અશોકભાઇ ઠાકોરભાઈ પટેલ અને જગુભાઈ ઠાકોરભાઈ પટેલ ,સાદ્ક્પોર દ્વારા શાળાના તમામ 206 બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળામાં વધી રહેલી ઠંડીને કારણે બાળકોના સ્વાસ્થયના હિતને ધ્યાનમાં રાખી બાળકો માટે ખૂબ ઉમદા કાર્ય કરવામાં આવ્યું. જે બદલ રંગપુર શાળા પરિવાર , શાળા વ્યવસ્થાપન સમિતિ રંગપુર અને ગ્રામ પંચાયત રંગપુર વતિ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર.જેમાં વિવેક જયંતિલાલ પટેલ , ગોરગામ નિવાસી તથા અશોકભાઇ ઠાકોરભાઈ પટેલ અને જગુભાઈ ઠાકોરભાઈ પટેલ ,સાદ્ક્પોર દ્વારા શાળાના તમામ 206 બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળામાં વધી રહેલી ઠંડીને કારણે બાળકોના સ્વાસ્થયના હિતને ધ્યાનમાં રાખી બાળકો માટે ખૂબ ઉમદા કાર્ય કરવામાં આવ્યું. જે બદલ રંગપુર શાળા પરિવાર , શાળા વ્યવસ્થાપન સમિતિ રંગપુર અને ગ્રામ પંચાયત રંગપુર વતિ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર.

Back to top button
error: Content is protected !!