શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા, દ્વારા, ધોળાવીરા બોર્ડર ના જવાનોને 100 ગાદલાનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
દેશની રક્ષા કરતા જવાનોને ગાદલાનું વિતરણ કરવાનો કાર્યક્રમ અંબાસણ 56, બી, એન, સિક્યુરિટી ફોર્સ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ માં ઊંઝા મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય શમ કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, મહેસાણા સર્વોદય બેંકના ચેરમેન જયેશભાઈ શાહ, ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો, આ પ્રસંગે બીએસએફના કમાન્ડર વિજય કુમારે મહેમાનોનું મોમેન્ટો આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું, ત્રણે મહાનુભાવો એ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી, આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેજપાલભાઈ પટવા, પ્રોજેક્ટ ચેરમેન જશુભાઈ પટેલ, રમણભાઈ સથવારા, હસમુખભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, શૈલેષભાઈ પટેલ દ્વારા દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતુ