મહેસાણા ખાતે અટલ ભૂજલ યોજના તળે તાલીમ અપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ બેંક અને જલ શક્તિ મંત્રાલય,ભારત સરકાર દ્વારા અનુદાનિત અને ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ગુજરાત સરકાર ધ્વારા અટલ ભૂજલ યોજના મહેસાણા જિલ્લામાં અમલી છે. અટલ ભુજલ યોજના નો મુખ્ય હેતુ લોકભાગીદારીથી ભૂગર્ભ જળમાં વધારો કરવો અને પાણીનો બચાવ કરવાનો છે.જેના અનુસંધાને વડનગરમાં તાલુકા કક્ષાની તાલીમ યોજાઇ. અટલ ભૂજલ યોજના ની વિસ્તૃત માં માહિતી તે તાલુકામાં કામગીરી કરતી સંસ્થા પ્રગતિ સાર્વજનિક ટ્રસ્ટ અને DPMU મહેસાણા દ્વારા આપવામાં આવી.