ENTERTAINMENT

સુકેશે મારુ જીવન નર્ક બનાવી દીધું, મને બર્બાદ કરી નાંખી: જેક્લિન

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પોતાની પર્સનલ લાઇફને લઈને સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીની 200 કરોડના મની લોન્ડરિંગ કેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી જ્યાં તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. જેક્લિને જણાવ્યું કે ,સુકેશે પોતાનો પરિચય સન ટીવીના માલિક તરીકે આપ્યો હતો. તેમજ તમિલનાડુના પૂર્વ સીએમ જે જયલલિતા તેની માસી લાગે છે. એવુ પણ જણાવ્યુ હતુ.

અભિનેત્રીએ એ પણ દાવો કર્યો હતો કે, સુકેશ સાથે જેક્લીનની છેલ્લે 8 ઓગસ્ટ, 2021ના રોજ કોલ પર વાત થઈ હતી. તે દિવસ પછી તેણે તેનો સંપર્ક કર્યો ન હતો. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે પિંકી સુકેશ વિશે બધું જ જાણતી હતી પરંતુ તેણે ક્યારેય તેનો ખુલાસો કર્યો નથી.

સુકેશ અને મારા વચ્ચે કોઇ સંબંધ નથી

EDની પૂછપરછમાં જેકલીને સ્પષ્ટ કર્યું છે કે, તેના અને સુકેશ વચ્ચે કોઈ સંબંધ નથી. EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, જેકલીન ઠગ સુકેશ પાસેથી કિંમતી ગિફ્ટ લેતી હતી. એવું પણ કહેવાય છે કે, સુકેશે જેકલીન માટે શ્રીલંકામાં એક આલીશાન ઘર ખરીદ્યું હતું.

જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે તેનું જીવન નર્ક બનાવી દીધું છે. અભિનેત્રીએ કહ્યું, ‘તેણે મારી લાગણીઓ સાથે રમત કરી છે અને મારા જીવનને નર્ક બનાવી દીધું છે.’ એવા અહેવાલ હતા કે જેકલીન પણ સુકેશ સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!