BHARUCH

અંકલેશ્વર ઇન્ટર નેશનલ મેરેથોન દોડ માં જંબુસર ના દોડવીર હસમુખભાઈ એ દ્વિતીય નંબર ની સિદ્ધિ મેળવી.

અંકલેશ્વર ઇન્ટર નેશનલ મેરેથોન દોડ માં જંબુસર ના દોડવીર હસમુખભાઈ એ દ્વિતીય નંબર ની સિદ્ધિ મેળવી.
ડી. એ. આનંદ પૂરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ના સહયોગ થી તા. 22 ડિસેમ્બર 2023 ના રોજ ઇન્ટર નેશનલ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યો ના દોડવીરો તથા વિદેશ માંથી પણ દોડવીરો એ ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર ના જાણીતા દોડવીર હસમુખભાઈ જંબુસરિયા એ ઇન્ટર નેશનલ મેરેથોન દોડ માં ભાગ લીધો હતો. અને તેઓ 21.1 કી.મી. ની હાફ મેરેથોન દોડ માં સુપર વેટરન કેટેગરી માં દ્વિતીય નંબર મેળવ્યો હતો. આયોજકો દ્વારા તેઓને રૂ. 8000 નો ચેક, ટ્રોફી, અને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુભેચ્છકો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!