MEHSANAVIJAPUR

આઈટીઆઈ કોલેજ પિલવાઇ મુકામે વ્યસન મુક્તિ અંતર્ગત સ્પર્ધા યોજાઈ

આઈટીઆઈ કોલેજ પિલવાઇ મુકામે વ્યસન મુક્તિ અંતર્ગત સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ શ્રી નાનાલાલ રણછોડદાસ રાવલ આઈટીઆઈ કોલેજ પિલવાઇ મુકામે વ્યસન મુક્તિ અંતર્ગત સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધામાં કુલ 13 બાળકોએ ભાગ લીધો. વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તમાકુના વિવિધ પ્રકારના વ્યસનથી થતા રોગો જેવા કે કેન્સર બીપી મગજનો લકવો સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર મોઢાનું કેન્સર ની માહિતી આપી તેમજ સમાજ ઉપર વ્યસનના કારણે થતી મુશ્કેલીઓ અને સમાજ પર શું અસર થાય છે તેની માહિતી આપી હતી સાથો સાથ તમાકુ અધિનિયમ 2003 ની માહિતી પણ બાળકો દ્વારા સ્પર્ધામાં આવરી લેવામાં આવી સ્પર્ધાના અંતે નિર્ણાયક દ્વારા ત્રણ વિદ્યાર્થીઓની પ્રથમ દ્વિતીય તૃતીય જાહેર કરવામાં આવ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ ત્રણેય વિજેતાઓને જેમાં પ્રથમ વિજેતાની શીલ્ડ અને બેગ આપવામાં આવી દ્વિતીય વિજેતા ને ફાઈલ અને શિલ્ડ આપવામાં આવ્યો દ્વિતીય વિજેતા ને ફોલ્ડર અને શિલ્ડ આપવામાં આવ્યો ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ આશ્વાસન ઈનામ પેટે સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં આઈ ટી આઈ ની વિદ્યાર્થીની ઓ દ્વારા કવાલી રાખવામાં આવ્યો જેમાં વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવ્યો તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી અને બાળકોને વ્યસન ન કરવા અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્ ડો તૃપ્તિબેન પટેલ સુપરવાઇઝર અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમની સફળ બનાવવા આઈટીઆઈ સંસ્થાના વડા હેતલબેન રાવલ તેમજ પિલવાઇ કોલેજના પ્રોફેસર ડો મનુભાઈ પ્રજાપતિ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!