IDARSABARKANTHA

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

***

પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન/ કેલ્ક્યુલેટર કે અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો ના ઉપયોગ પર પ્રતિબંધ

***

સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાના કુલ ૧૧૭ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્ક ની પરીક્ષા(વહીવટ/હિસાબ)(જા.ક્ર.૧૨/૨૦૨૧-૨૨)ની લેખિત પરીક્ષા તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી બપોરના ૧૨.૦૦ કલાક સુધી યોજાનાર છે.

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓ/કોલેજો ખાતે લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય, વિશ્વસનીયતા નું વાતાવરણ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

 

જિલ્લાના જુદા જુદા તાલુકાના તમામ જે કેન્દ્રમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/કેલ્યુલેટર/સ્માર્ટ વોચ/ટેબલેટ/સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ.કે સાથે રાખી શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

પરીક્ષા સમય દરમિયાન પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થવું નહી, સૂત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ.પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક/ મ્યુઝીક/લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશ આપોઆપ રદ ગણાશે. પોલીસ અધિકારી/કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બદોબસ્તની ફરજ બજાવી શકે નહી.

પોલીસ કર્મચારી કોઈ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનની અંદર જઈ શકાશે નહી. પરીક્ષા કેન્દ્રનું કેમ્પસની અંદર પરીક્ષાની કામગીરી માટે નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

રિપોર્ટ, જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!