તા.24.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું
ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. એસપી શ્રી બલરામ મીણા પણ તેમની સાથે જોડાયા હતા. કલેકટર ડો. ગોસાવીએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા