HALOLPANCHMAHAL

હાલોલ-પરણિતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ.

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

મૂળ બિહારના અને હાલ હાલોલની ગોધરા રોડ પર આવેલ શિવાલય સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ પોતાના જ ભાડાના મકાનમાં ગળે દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે હાલ હાલોલ ટાઉન પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મૃતકનો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેમના પરિવારને સોંપ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના અને હાલ છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં અને થોડા સમય થી હાલોલના ગોધરા રોડ પર આવેલ શિવાલય સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય બીભા અનીલ શર્મા નાઓ આજે વહેલી સવારે પોતાના પતિ અને તેની પુત્રી બેડરૂમ માં સુઈ રહ્યા હતા ત્યારે તેઓએ બેડરૂમ નો દરવાજો બંધ કરી સ્ટોપર માર દીધેલ ત્યારબાદ બેઠક રૂમના પંખા ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગે પરિણીતા નો પતિ સવારે ઉઠ્યો ત્યારે તેના બેડરૂમનો દરવાજો આગળથી બંધ હોવાથી તેની પત્નીને દરવાજો ખોલવા માટે બૂમો પાડી હતી છતાં પરિણીતા પ્રતિ ઉત્તર ન આપતા તેને અન્ય એક ઇસમ ને ફોન કરી જણાવ્યું હતુ કે બેડરૂમ નો દરવાજો બંધ છે અને પત્ની કોઈ જવાબ આપતી નથી જેથી તે ઇસમ તેના ઘરે દોડી આવ્યો હતો ત્યારે મકાનનો મુખ્ય દરવાજો અંદર થી બંધ હતો અને બારીમાં થી જોતા બિભા શર્મા આગળના રૂમમાં પંખા ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને તેઓએ તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા.પોલીસે હાલ અક્સ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!