27 જાન્યુઆરી 2023
હર્ષલ ખંધેડિયા જામનગર
વાત્સલ્ય સમાચાર
જામનગર જીલ્લા ના કાલાવડ ના નવાગામ ની તાલુકા શાળા ના પટાંગણ માં ગામ ની દિકરી પારૂલબેન મકવાણા ના હસ્તે ધ્વજવંદન કરાવી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં ગામના પ્રથમ નાગરિક સમાન સરપંચ સંજયભાઈ ચોવટીયા સહિત ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતાં..ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો..
જેમાં મોટી સંખ્યા માં વિધાર્થીઓ ભાગ લીધો હતો.આ તકે ગામ ના લોકો દ્ધારા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં…