MEHSANA

વિજાપુર વસઇ ગામે જગદંબા સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

વિજાપુર વસઇ ગામે જગદંબા સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
પ્રજાસત્તાક દિવસ74 માં 74 લોકોએ રક્તદાન કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વસઈ ગામે આવેલ શેઠ જીએસ હાઇસ્કૂલ ખાતે જગદંબા સેવા ટ્રસ્ટ તેમજ જેસીઝ વોલન્ટરી બ્લડ બેંક સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં 74 લોકોએ 74 બોટલનું રક્તદાન કર્યું હતું અને પ્રજાસત્તાક દિવસ ના 74 માં વર્ષે ને રક્ત સમર્પિત કર્યું હતું દુનિયામાં દરેક ચીજ વસ્તુ બનાવી શકાય છે પરંતુ રક્ત બનાવવા માટે હજી કોઈ પણ મશીનરી બનાવી શક્તિ નથી જે ફક્ત દાન સ્વરૂપે મળી શકે છે અને આ દાન દરેક દાનમાં સૌથી ઉત્તમ દાન ગણવામાં આવે છે જેનું કારણ દેશ માટે લડતા શૂરવીર હોય કે પછી અકસ્માતમાં ઇજા પામેલ કોઈ વ્યક્તિ હોય જ્યારે જરૂર પડે છે ત્યારે શોધવા જવું પડે છે કેટલીક અણ સમજને કારણે રક્તનું દાન ઘણું ઓછું પ્રાપ્ત થતું હોય છે રક્તદાન અન્ય માટે કોઈકનું જીવનદાન પણ બની શકે છે જેથી રક્તદાન માટે ગ્રામ્ય શહેરમાં જાગૃતિ લાવવા માટે જરૂરી છે જેથી લોકોમાંથી રક્ત આપવા માટે ડર ઓછો થાય અને ગ્રામ્ય કક્ષાએ પણ રક્તદાન શિબિર વધુ યોજાય એ હાલમાં જરૂરી બન્યુ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વસઇ કેળવણી મંડળ વસઈ દૂધ ઉત્પાદક મંડળી તેમજ જાયન્ટ પીપલ ફાઉન્ડેશન તેમજ જગદંબા સેવા ટ્રસ્ટ ના સેવકો એ શ્રમ ઉઠાવ્યો હતો જયારે મણીભાઈ રવિશંકર જોશી પરિવાર દ્વારા રક્તદાતાઓને ગીફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રબોધરાય જાની, લલિત ભાઈ પટેલ , ઘનશ્યામ ભાઈ પટેલ, મનીષ ભાઈ ગેલડા ,કનક સિંહ ચાવડા , કૌશિક ભાઈ પટેલ જાઇન્ટ ગૃપ વિજાપુર, કુમાર ભાઈ ગોજારીયા વાળા સહિત ઉપસ્થિત રહીને રક્ત દાતાઓને પ્રોત્સાહન આપ્યુ હતુ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!