BHARUCH

જંબુસર વાઘેલા વાસ ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો

જંબુસર વાઘેલા વાસ ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો….
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ભજનીક હેમંતભાઈ ચૌહાણનો ભજન સંધ્યા કાર્યક્રમ શ્રદ્ધાંજલિ નિમિત્તે જંબુસર ખાતે યોજાયો જેમાં ભજનના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા….
જંબુસર માગણાદી ભાગોળના સ્વ કાલિદાસભાઈ વાઘેલા તથા સ્વ જયશ્રીબેન માળીના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પુણ્ય આત્માની શાંતિ માટે ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ભજનીક હેમંતભાઈ ચૌહાણ ગણપતિ આરાધના થકી પ્રારંભ કર્યો હતો અને ભજનોની રમઝટ બોલાવી હતી ભજનના તાલે ભક્તિ રસમાં સૌ તરબોળ થયા હતા. કમલેશભાઈ વાઘેલા તથા લક્ષ્મીબેન માળી પરિવારને પુણ્ય આત્માને દિવ્ય જ્યોત નો પ્રકાશ સહદેવ આત્મબળ અને પ્રેરણા આપતો રહેશે પરમ કૃપાળુ પરમાત્મા આ સદગત આત્માને પરમ શાંતિ આપે તેવી સામૂહિક પ્રાર્થના કરી હતી ભજન સંધ્યા કાર્યક્રમમાં રામદાસ બાપુ જીતુભાઈ મકવાણા સહિત મહાનુભાવો નું સન્માન કરાયું હતું તથા હેમંતભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાઘેલા સમાજ અગ્રણીઓ ચંદુભાઈ ચેતનભાઇ ભાઈ બહેનો પધારી ભજન કીર્તન નો લાભ લીધો હતો….

Back to top button
error: Content is protected !!