BANASKANTHAPALANPUR

બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ, પાલનપુર દ્વારા ગણતંત્રદિનની ઉજવણી 

29 જાન્યુઆરી,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ, પાલનપુરની તમામ સંસ્થાઓએ સાથે મળીને 74મા ગણતંત્ર દિનની ઉજવણી કરી હતી. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે પાલનપુરના માનનીય ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પિતાશ્રી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીલીટની ડિગ્રી ધરાવનાર ડૉ.ગિરીશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા બાળકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અને ભારતમાતા વિશે તેમનું સુંદર પ્રવચન રહ્યું હતું. સંસ્થામાંથી અધ્યાપકની લાયકાત માટેની પદવી એવી *GSET* ની એકઝામ દિનેશભાઈ બળોલીયા અને ટીનાબેન પટેલ દ્વારા પાસ કરી હોવાથી તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બિનહરીફ સેનેટ મેમ્બર બનનાર પિનાક્ષીબેન પટેલ એમ ત્રણેય અધ્યાપકનું જાહેરમાં પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત અને અતિથિ વિશેષ એવા ડૉ. ગિરીશભાઈ ઠાકરના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં તમામ સંસ્થાના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રીઓ, તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની તમામ ફેકલ્ટીઓના સ્ટુડન્ટ્સ દ્વારા દેશભક્તિના વિવિધ પ્રોગ્રામ્સ જેવા કે, સ્પીચ,ગીત, ડાન્સ… વગેરે રજુ કરવામાં આવ્યા હતા. ગણતંત્રદિનની ઉત્સાહભેર ઉજવણી કરવા બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!