તા.29.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકની દિકરીના જન્મદિવસની ઉજવણી બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને ઉજવણી કરવામાં આવી
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકની દિલીપકુમાર એચ મકવાણાના દિકરી કુમારી પ્રિયા(પિયુ) ના જન્મ દિવસ નિમિતે આજુ બાજુ ફળિયાના બાળકોને ભેગા કરીને બે કલાકની શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સામગ્રી , નાસ્તો અને બિસ્કીટ નું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું. જન્મ દિવસની ઉજવણી માં દીકરી પિયુના જન્મ દિવસ નિમિતે દાદા – દાદી , મોટા પપ્પા, મોટી મમ્મી અને માતા પિતા તેમજ ભાઈ બહેનના આશીર્વાદ મેળવ્યા હતા.આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણા ની દિકરીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.