SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
તા.30/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન અને શહિદ દિન નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં અને પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મૌન પાળવામાં આવ્યું હતું.