BANASKANTHAPALANPUR

શ્રી બી. ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય,અંબાજી શાળાના શિક્ષક નિલેશભાઈ બુંબડિયાનું જયપુર ખાતે મીરાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું 

30 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ટ્રી ગૃપ સામાજિક વિકાસ સંસ્થા, જયપુર દ્વારા સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર 50 જેટલી વિશિષ્ટ વ્યક્તિઓનું મીરાં એવોર્ડથી સન્માન સમારોહનું આયોજન તા :29/01/2023ના રોજ જયપુર ખાતે કરવામાં આવ્યું આ સન્માન સમારોહમાં શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય,અંબાજી શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ બુંબડિયાનું કલાક્ષેત્રે મહત્વના યોગદાન બદલ લોકગાયક તરીકે મીરાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ માન. વ્રજકિશોરજી શર્મા, પૂજ્ય.શ્રી સૌરભ રાઘવેન્દ્ર આચાર્યજી તથા ટ્રી ગૃપ સામાજિક વિકાસ સંસ્થાના સ્થાપક માન. ક્રિષ્ન ભારદ્વાજ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.શ્રી નિલેશભાઈ બુંબડિયાને મીરાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એ બદલ શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય શાળા પરિવાર તેમજ દાંતા તાલુકો અને બનાસકાંઠા જિલ્લો હર્ષની લાગણી વ્યક્ત કરે છે…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!