JETPURRAJKOT

જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ ક્ક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવનાર છે. નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે આગામી ૨૩/૦૨/૨૦૨૩ના રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી રાજકોટ ખાતે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં કલેકટર કચેરી, રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે. લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ આ કાર્યક્રમમાં મોકલવા. અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું.

પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પ્રશ્ન કર્તા કે અરજદારની સહી જરૂરી છે. અરજી સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં. પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં. કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાનમાં લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે.

તા.૧૦/૦૨/૨૦૨૩ બાદની અરજી કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, નામ-સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી વગેરે પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં જેની અરજદારોએ ખાસ નોંધ લેવા કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!