તા.૩૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ-શહીદ દિન નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોશી, સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા, પ્રિયંકા પરમાર સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા અને રાષ્ટ્રપિતાને મૌન અંજલી અર્પણ કરી હતી.