KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ-બળાત્કારના ગુન્હામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઝડપાયો

તારીખ ૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ઉપલા અધિકારીઓેએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.સુચના મુજબ એ.એસ.આઇ.ઘનશ્યામભાઇ પુંજાભાઇ નાઓએ તેઓના અંગત બાતમીદારથી બાતમી મેળવી કાલોલ પો.સ્ટે.એમ.કેસ.નં. ૨૨/૨૦૦૬ ઇ.પી.કો.કલમ ૩૬૬,૩૭૬ વગેર મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકી રહે. સણસોલી તા.કાલોલ નાઓ હાલમાં સુરત પાંડેસરા વિસ્તારમાં રહે છે.તેવી મળેલ બાતમીના આધારે સુરત ખાતે તપાસ કરી આરોપીને સુરત ખાતેથી પકડી પાડી ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!