HIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાશે

હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાશે

આયુષ કચેરી ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હિંમતનગર દ્વારા હિંમતનગર ખાતે આયુષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરના મારુતિ નગર વિસ્તાર નવરાત્રી ચોક પક્ષી ઘરની પાછળ આજે તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના ગુરૂવાર સવારે ૯:૦૦ કલાક થી બપોરના ૩:૦૦ કલાક સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર અને આસપાસના પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આયુર્વેદ તથા હોમિયોપેથીની નિ:શુલ્ક સારવાર આ કેમ્પમાં આપવામાં આવશે. આ કેમ્પ દ્વારા પાચનતંત્રના રોગો, શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગ, સાંધાના રોગો, જીવનશૈલી જન્ય રોગ ની તપાસ અને સારવાર સ્થળ પર કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર અને આસપાસના પ્રજાજનો આ આરોગ્ય સારવાર કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ જયંતિ પરમાર

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!