BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર. પીઠોરા ચિત્રો માટે પદ્મશ્રી મેળવવા બદલ પરેશ રાઠવાને મુખ્યમંત્રીએ અભિનંદન પત્ર પાઠવ્યો

કલેકટર કચેરી અને જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ દ્વારા કવાંટ મામલતદાર કચેરી ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યુ.

છોટાઉદેપુર જીલ્લાના કવાંટના પ્રસિદ્ધ પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાને તા.૨૫ના રોજ પદ્મશ્રી ઘોષિત થયા પછી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીનો ગાંધીનગરથી ખાસ અભિનંદન આપતો પત્ર કલેકટર કચેરી પર મોકલવામાં આવ્યો હતો. આ અભિનંદન પત્ર અધિક નિવાસી કલેકટર, આર.કે ભગોરા, જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કવાંટના મામલતદાર તેમજ અન્ય મુરબ્બીશ્રીઓ વચ્ચે પરેશભાઈને અર્પણ કરવામાં આવ્યો હતો અને સર્વે મહાનુભાવો સામે વાંચીને સંભળાવવામાં આવ્યો હતો. પત્રમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૨૦૦ વર્ષ જૂની પીથોરા કળાના વારસાને જીવંત રાખવા બદલ અને રાષ્ટ્ર કક્ષાનું બહુમાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!