MAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી

રિપોર્ટર…..
અમિન કોઠારી
સંતરામપુર

સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર ૪ ગોધરા ભાગોળ વિસ્તારમાં નગર પાલિકા નાં નળ કનેક્શન દ્વારા અપાતું પીવાના પાણી માં જીવતું જીવ જંતુ આવતા નગરજનો ચોંકી ઉઠ્યા;

નગર પાલિકા પાણી પુરવઠા વિભાગ ની ધોર બેદરકારી સામે આવી……..

 

 

 

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 ગોધરા ભાગોળ વિસ્તાર માં 3 ફેબ્રુઆરી ના રોજ નગર પાલિકા દ્વારા નગરજનો ને પીવાનું પાણી આપવા માંઆવ્યું હતું. તે દરમિયાન ગોધરા ભાગોળ વિસ્તારમાં માં રહેતા એક ફેમિલી નાં ઘરના સભ્ય વાસણ મૂકી પાણી ભરી રહ્યાં હતાં તે જ દરમિયાન પાણીની સાથે 1 જીવ જંતુ (જીવતું સાપ નુ નાનુ બચ્યું ) જીવતું પાણી માં આવતા ચોંકીગયા હતા.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, આ બાબતે સંતરામપુર નગર પાલિકા પાણી પુરવઠા વિભાગ ની ધોર બેદરકારી ના લીધે પીવા ના પાણીની પાઇપલાઇનમાં આવા ઝેરી જનાવરો ફરતા હોય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવતું નથી જેને લઈને પાણી પુરવઠા વિભાગની કામગીરી પ્રત્યે આજુ બાજુના રહીશો મા પાલિકાનાં વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે.

અને સાથે આ બાબતે નગરજનો ની માંગ ઉઠવા પામી હતી કે સંતરામપુર નગર પાલિકા પાણી ફિલ્ટર કરી ચેક કરી નગરજનો ને ચોખ્ખુ પાણી આપે તેવી માંગ ઉઠવા પામી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!