CHHOTA UDAIPURJETPUR PAVI

પાવી જેતપુરમાં ચલામલી રોડ ઓરસંગ નદી પરનો પુલ રીપેરીંગ માટે વધુ એક મહિનો બંધ રાખવામાં આવશે.

વધુ એક મહિનો ડાઈવર્ટ કરેલા રૂટ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે.

છોટાઉદેપુર, તા.૨૦

છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર-ચલામલી રોડ પર ઓરસંગ નદી પર આવેલ લેવલ બ્રીજ ઉપર રીપેરીંગ કામ કરવાનું હોવાથી સુધી ભારે વાહનો માટે અવાર જવર બંધ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ એક મહિનો વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. આ જાહેરનામું છોટાઉદેપુર જીલ્લાના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાનના અભિપ્રાયથી બહાર પાડવામાં આવેલ છે. વાહનોની અવાર જવર માટે વૈકલ્પિક રૂટ મુજબ વાહનોનું ડાઈવર્ઝન કરવામાં આવેલ હતુ. આ જાહેરનામાની મુદ્દત વધુ એક મહિનો એટલે કે તા.૧૧ માર્ચ સુધી લંબાવવા માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા માંગણી કરાતા આ જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવે છે. આ ડાઈવર્ઝન કરેલા રૂટ પર તમામ રસ્તા પર ખાડા પડી ગયેલા છે  નાનું મોટું રીપેરીંગ કરીને આ રૂટને પહેલા સમારકામ કરવામાં આવશે. આ રૂટ કવાંટથી જેતપુર પાવી તરફ આવતા ભારે વાહનોને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થઈ જમણી બાજુ વળી જેતપુર પાવી તરફ જઈ શકાશે.

જેતપુર પાવી થી કરાલી, કવાંટ તરફ જતા ભારે વાહનોને કોર્ટ બિલ્ડીંગ જેતપુર પાવી સામેથી નાલેજ-પીપલેજ-હરવાંટ-રતનપુર રોડથી છોટાઉદેપુર તરફ તેજગઢ ઓરસંગ બ્રીજ પર થઈ નેશનલ હાઈવે પરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ શકાશે.

આ જાહેરનામાના હુકમના ભંગ બદલ પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!