BANASKANTHATHARAD

થરાદ ખાતે બહુજન સમાજ જાગૃતિ તેમજ ભીમ ડાયરો યોજાયો.

૨૭ ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ.બહુજન સાહિત્યકાર સમ્રાટ વિશન કાથડ તથા મોહિન્દ્ર મોર્ય તેમજ બીબીસી સ્થાપક સંશોધન સ્ટેટ ચેરમેન દિલીપભાઈ મોર્ય ની ઉપસ્થિતમાં ભીમ ડાયરો કાર્યકમ યોજાયો

આજરોજ થરાદ ખાતે બહુજન સમાજ જાગૃતિ તેમજ ભીમ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમા મેઘવંસી સમાજ વાડીમાં ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. બહુજન સાહિત્ય સમ્રાટ વિશન કાથડ તથા મોહિન્દર મોર્ય મુખ્ય મહેમાન ધ ભારતીય બહુજન ક્રેડીટ કો ઓપરેટિવ સોસાયટી ના સ્થાપક સંશોધક અને સ્ટેટ ચેરમેન શ્રીમાન દિલીપ મોર્યની ઉસ્થિતિ કાર્યકમ યોજાયો હતો. બીબીસી ફાયનાન્સ વિશે શ્રીમાન દિલીપભાઈ મોર્ય દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી.જેમાં બહુજન સમાજ જાગૃતિ લાવવા માટે બહુજન સમ્રાટ સાહિત્યકાર વિશન કાથડ દ્વારા બાબા સાહેબ આંબેડકર નો ઇતિહાસ તેમજ અંધશ્રદ્ધા મુક્ત કરવા માટેનુ સાહિત્ય રેલાવી લોકોને જાગૃત કર્યા હતા. બહુજન જાગૃતિ કાર્યકમના મુખ્ય અતિથિ મહેમાનો, બીબીસી વાઇસ ચેરમેન સુરેન્દ્રભાઈ પરમાર, બીબીસી સ્ટેટ ડાયરેક્ટર એલ. ડી. વાઘેલા (પોલીસ ઇન્સ્પેકટર નિવૃત્તિ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત), બીબીસી ડીસ્ટ્રીક ચેરમેન અશોકભાઈ રાઠોડ, રતિલાલ રૂપાલિયા, પોપટલાલ શિક્ષક, થરાદ ડેપો મેનેજર શ્રી કપીલભાઈ ચૌહાણ,મેઘવંશી સેવા ટ્રસ્ટ થરાદ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વાણિયા, થરાદ તાલુકાના બહુજન સમાજના કર્મશીલ કાર્યકરો તથા બનાસકાંઠા થી પધારેલ બહુજન સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું એંકરીંગ રમદાસભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!