સેલંબા ખાતે ડૉ ભીમરાવ આંબેડકર સ્મારક બનાવવા ભૂમિ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યું,
વાત્સલ્ય ન્યુઝ : જેસીંગ વસાવા
27 -2 -2023 ના રોજ સોમવારે સેલંબા મુકામે ગ્રામ પંચાયત ની સામે ડો.બાબા સાહેબ આંબેડકર ના સ્મારક બનાવવા માટે ભૂમિ પૂજન કરવાનો કાર્યક્રમ કરવામા આવ્યો જેમાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ આકાશભાઈ તેમજ ચંદ્રકાંતભાઈ લુહાર ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો સેલંબાના વેપારી મિત્રો તેમજ આજુબાજુ ગામડાના સાગબારા તાલુકાના આગેવાનો હાજર રહેલ અને બાબાસાહેબ આંબેડકર સ્મારકની બનાવવા માટે જે આયોજન કરેલ હતું એમાં ભૂમિ પૂજન નો કાર્યક્રમ સફળ રહ્યો સાગબારા તાલુકાના દરેક આગેવાનો આવી ખૂબ સારો સહકાર આપ્યો અને આ સ્મારક બનાવવા માટે દરેક યુવા મિત્રોને ખાસ વિનંતી છે પોતપોતાનો યથાશક્તિ સહકાર અને સહયોગ આપે એવી સૌને બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ વતિ સૌને સુચલ કરવામાં આવલ છે,