POSHINASABARKANTHA

સાબરકાંઠા જીલ્લા ના પોશીના ખાતે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી

સાબરકાંઠા જીલ્લા ના પોશીના ખાતે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં ઘરે આવેલ મહેમાને જ એક બાળક અને વ્યક્તિ પર હુમલો કરતા બે ના મોત અને મારનાર ને પણ મરનારના ભાઈઓ માર મારતા મોત પોલીસે ફરિયાદ ની તજવીજ હાથ ધરી..

સાબરકાંઠા જીલ્લા ના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના ના અજાવાસ ગામે ગત મોડીરાત્રીએ ત્રિપલ મર્ડરની ઘટના બની છે જેમાં મરનાર મા ઘરે આવેલ મહેમાને અડધી રાત્રીએ અચાનક ઉઠી જઈને પાંચ વર્ષના બાળક અને તેના પીતા પર બોથડ પદાર્થ જેવા હથિયાર થી માર મારતા મોત થયુ હતુ તો મરનાર ની માતાએ બુમારાડ કરતા આસપાસમાં રહેતા ભાઈઓ આવી જઈને હુમલો કરનાર ને માર માર્યો હતો જેમાં હુમલાખોરનુ પણ મોત થયુ હતુ આ સમગ્ર મામલે ગામમાં ચકચાર મચી ગઈ છે તો ઘટનાની જાણ થતા એસ પી સહિત એસ સી બી, એસઓજી, ઈડર ડી વાય એસ પી, સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના ની માહિતી એકત્રિત કરી ફરિયાદ નોધવાની કાર્યવાહી કરી રહ્યુ છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પારિવારિક ઝઘડાને કારણે ઘટના બની હોય તેવુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!