KOTDA SANGANIRAJKOT

કોટડાસાંગાણી તાલુકાના ૪૨ ગામમાં ૩૫૦૦ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનો લાભ અપાયો

તા.૧૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના તમામ ૪૨ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી ૧૫ દિવસોમાં આશરે ૩૫૦૦ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

હાલ શનિ-રવિની રજાઓમાં પણ તમામ કચેરીઓ ચાલુ રાખવા ઉપરાંત રાત્રિ કેમ્પ કરી ઇ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી ચાલુ રાખી મહત્તમ શ્રમિકોને લાભ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરી ઉપરાંત સસ્તા અનાજની દુકાનો વગેરે સ્થળે પણ ઇ-શ્રમ કાર્ડ નોંધણી કામગીરી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો/શ્રમિકો અને તેમના પરિવારોજનોને રૂ. ૨,૦૦,૦૦૦(બે) લાખ સુધીનું વીમા કવચ મળી શકે તે માટે ઈ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે.શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવી સરળ રહે તે માટે જિલ્લાના દરેક તાલુકા અને ગામ ખાતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેમ કોટડાસાંગાણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર. ઠોરિયાએ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!