૨૦ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ભાયાવદરમા વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એકલવ્ય એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ લોકોમાં જનજાગૃતિ આવે એ માટે રેલી કાઢી ને ચકલી બચાવો પર્યાવરણ બચાવો નારા સાથે કરી.
ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા છેલ્લા ૪ મહિનાથી આજુબાજુની સ્કૂલ અને આજુબાજુના ગામડામાં પોતાની જતમેહનત થી પોતાના ખર્ચે અંદાજે ૧૫૦૦૦ જેટલા ચકલીનામાળા લગાડીને આ નાનકડી રૂપકડી ચકલી બચાવવા માટે દિવસ રાત મેહનત કરે છે.
આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્ર ભાઈ દરેક લોકો ને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહિ ૩૬૫ દિવસ ઉજવશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે.
ચકલી પ્રેમી નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા ચકલીનો નવી ડિઝાઇન નો માળો આખા ભારત માં આગવું સ્થાન ધરાવે છે.દર વરસે ૨ લાખ માળા આખા ભારત માં પોતાની ડાઈ માંથી છપાય છે.