MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા -વિરપર પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

 

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં 4 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી ચુકેલા પ્રવિણભાઈ પારઘીની મિતાણા પ્રાથમિ શાળા ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે આચાર્ય પ્રવિણભાઈ પારઘીની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

સાથે જ રમત-ગમત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા. આ તકે જીલ્લા પંચાતના સદસ્ય નાથુભાઈ કડીવાર, વિરપર ગામના સરપંચ મહેશભાઈ લીખીયા, બી.આર .સી કોડીનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી કોડિનેટર શૈલેષભાઈ, લજાઈ તાલુકા શાળાના આચાર્ય નીતિનભાઈ, છાયાબેન નવા વિરપર પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન, શાળાના એસે. એમ. સી અધ્યક્ષ ચેતનાબેન, નિવૃત શિક્ષક જસમતભાઈ અને દમયંતીબેન ઉપસ્થિત રહેલા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને પ્રવાસી શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!