RAJKOTUPLETA

ઉપલેટા ના ભાયાવદર ની આંગણવાડી કેન્દ્ર મા “પોષણ પખવાડીયા” ઉજવણી કરાઈ.

“આવો આપણે સૌ ‘શ્રી અન્ન’ ઉપયોગ થી સુપોષીત ગુજરાત નિર્માણ કરીએ નો સંકલ્પ”
૨૫ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લા ના ઉપલેટા આઇ. સી. ડી.એસ. ઘટક મા ભાયાવદર ગ્રુપ આંગણવાડી ઓ મા પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત કિશોરી મીટિંગ યોજાઈ હતી.

સરકાર દ્વારા આંગણવાડી ઓ મા પોષણ પખવાડિયા તરીકે ૨૦ માર્ચ થી ૩ એપ્રિલ સુધી ઉજવણી જાહેર કરેલ હોય તે અંતર્ગત આવો સૌ સાથે મળીને શ્રી અન્ન ના ઉપયોગ થી સુપોષીત નિર્માણ કરી એ ના સંકલ્પ સાથે ઉપલેટા બાળ વિકાસ યોજના અધિકારી સોનલ બેન વાળા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ના સંકલન થી આ ભાયાવદર ગ્રુપ ના આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયા ની ઉજવણી કરાઈ હતી.

પોષણ પખવાડિયા ની થીમ મુજબ સગર્ભા ધાત્રી બહેનો ને આરોગ્ય પોષણ મિલેટ માંથી બનતી વાનગી સમજ કિશોરી ઓ ને અને ચોખા અને કિશોરી ઓ ને શ્રી અન્ન ના ફાયદા અને ઉપયોગ વિષે જાણકારી આપવામા આવી હતી શ્રી અન્ન એટલે ઘવ અને ચોખ્ખા કરતા અનેક ગણા સ્વાસ્થ્ય અને પોષક તત્વો થી ભરપૂર છે તે બાબતે જણાવેલ હતુ.

આ “પોષણ પખવાડિયા” કાર્યક્રમ મા બાળ વિકાસ યોજના અધિકારી સોનલ બેન વાળા હાજર રહી ને કિશોરી સગર્ભા ધાત્રી માતા ઓ ને આઇ. સી. ડી.એસ. અને સરકાર ની યોજનાકીય પોષણ પખવાડિયા ફાયદા ઓ જણાવેલ હતા સુપોષીત નિર્માણ નો આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર, મુખ્યસેવીકા સંકલ્પ કર્યો હતો અને સાથે આંગણવાડી કેન્દ્ર પર સગર્ભા માતા દર્શાવતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!