DAHOD

સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોલપેનોનું વિતરણ કરવામાં આવ્યું

તા.૨૭.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોલપેનોનું વિતરણ કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, સૈનિક પરીક્ષા,pse પરીક્ષા અને શિષ્યવૃતિ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પટેલ મહેશભાઈ ગામ – સંઘરી તા. કડાણા જી..મહીસાગર( ભાવિક પ્રકાશન) તરફથી અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બોલપેનોનું વિતરણ કરવામાં આવ્યું. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સી. સંગાડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બોલપેનો આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!