૨૯ માર્ચ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ મેઘવંસી સેવા ટ્રસ્ટ ની સાધારણ સભા થરાદ ખાતે જામનાથ બાપુ આશ્રમ ખાતે મળી હતી. જેમાં ટ્રસ્ટ ના ઉઘરાણાના પૈસા રજૂ કરવામાં આવ્યા. જેમાં જૂની પહોંચ બુકો પરત મેળવી લઈ મંત્રી શ્રી પાસે જમાં કરવામાં આવી. નવું ઉઘરાણું રજીસ્ટ્રેશન વાળી પાવતી બુકમાં જ જમાં ઠારવવામાં આવ્યું.૧૪ એપ્રિલનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાય તે માટે ફરીથી આયોજન મિટિંગ બોલાવવા ઠરાવ્યું.
મેઘવાળ સમાજના શૈક્ષણિક સ્કૂલની જમીન દસ્તાવેજો મેળવવા માટે ચર્ચા થઈ.૧૪ મી એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા વિનંતી કરી તેમના વરદ હસ્તે શાળાની જમીનમાં સાંસદ શ્રી ની ગ્રાન્ટ દ્વારા કોમ્યુનિટી હોલ કામ લાયબ્રેરીના મકાનનું ખાત મુહૂર્ત કરાવવા નિર્ણય લેવાયો જેમાં ટ્રસ્ટીના સભ્યો તેમજ કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.જેમાં મેઘવંશી સેવા સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્યો કે જેઓ સમયદાન આપી અને હાજર રહ્યા હતા જેમાં શ્રી ઇશ્વરભાઇ વાણીયા પ્રમુખશ્રી શ્રી મસરાજી ગોહિલ ખોડા હરસિંગભાઈ પારેગી, મંત્રી શ્રી રાસીભાઇ બૌધ્ધિષ્ઠ ચુડમેર ભાણજીભાઈ પરમાર ડોડગામ દરગાજી આસલ કોઠીગામ લવજીભાઈ વાણીયા થરાદ તુલસીભાઈ ધુમડા લુણાલ રામભાઈ પરમાર અભેપુરા પરાગભાઈ હડિયલ સ્વરા ખા સી.પી રાણુવા રડકા રામદાસ ભાઈ રાઠોડ મોટી પાવડ બાબુલાલ ભાટીયા ઘંટીયાળી માધાભાઈ સોલંકી અસાસણ જે ડી આસલ કોઠીગામ મોહનભાઈ બોચીયા ચારડા લાલજીભાઈ રાઠોડ મોટી પાવડ નાનજીભાઈ હડિયલ ખાનપુર ઇશ્વરભાઇ પરમાર વજેગઢ જેતશી ભાઈ પરમાર નાગલા જોઈતા ભાઈ કળસલવાણા હિન્દુભાઈ બોઘુ ડુવા દિનેશભાઇ કળસ લવાણા મદાજી પરમાર રાહ માવજીભાઈ પરમાર અભેપુરા ઇશ્વરભાઇ જોગચંદ ચાંગડા આંબાભાઇ પરમાર જાંદલા વગેરે હાજર રહ્યા હતા