JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ બહુજન વિકાસ ફોજ દ્વારા જિલ્લા કલેકટર મારફત રાજ્યપાલને આવેદપત્ર આપ્યુ

મહીસાગરના ખાનપુરની દીકરીની હત્યા મામલે બહુજન વિકાસ ફોજ દ્વારા અપાયું આવેદનપત્ર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગત તારીખ 18/3/2023ના રોજ મહીસાગર જિલ્લાના કરટા મુકામે દરગાહ ના ઉર્ષના મેળામાં ગયેલી ખાનપુર ની ચંદ્રિકા બેન પરમાર નામની યુવતીને નરાધમો દ્વારા જાહેર જગ્યાએથી ઉઠાવી જઈ દુષ્કર્મ કરી લાશને કોથળામાં વીંટી નદી કિનારે મુકવામાં આવેલ હતી, અને દુઃખ અને માનવજાતને લાંછન લાગે તે રીતે આ યુવતીની લાશ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ બનાવને 12 દિવસ જેવો સમયગાળો લાગ્યો પરંતુ હજી સુધી મહીસાગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા કોઈપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તે બાબતે આજે જુનાગઢ જિલ્લા બહુજન વિકાસ ફોજની ટીમ દ્વારા કલેકર મારફત મહામુહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી, અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી સમયમાં જો આ દીકરીના આરોપીઓની ધરપકડ કરવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતના સમાજને સાથે રાખી ઉગ્ર અદોલન કરવામાં આવશે એવી બી.વી એફ.દ્વારા માંગણી કરવામાં આવી હતી.
જુનાગઢ બહુજન વિકાસ ફોજના સંયોજક વનરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના ખાનપુર મુકામે બહુજન સમાજની દીકરીનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે, તે બનાવને આટલા દિવસો વીતવા છતાં પણ આરોપીઓને પકડવામાં નથી આવ્યા જે બાબતને લઈ જૂનાગઢ કલેકટર મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, અને આગામી સમયમાં જોવા દીકરીને ન્યાય નહીં મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં બહુજન સમાજને સાથે લઈ આંદોલન કરાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!