BANASKANTHAPALANPUR

આદર્શ અકાદમીમાં સમાવર્તન-સંસ્કાર સમારોહ યોજાયો

31 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા-પટેલ કેળવણી મંડળ, પાલનપુર અનુપ્રેરિત આદર્શ અકાદમી, લાલાવાડા ખાતે તારીખ : ૩૦ માર્ચ ને ગુરુવારના રોજ ધોરણ-10 ના વિદ્યાર્થીઓના માધ્યમિક શિક્ષણનો તબક્કો પૂર્ણ થતાં તેઓના ભાવિ જીવનની શુભતા માટે આશીર્વચન પાઠવવા તથા વેદકાલીન ગુરુકુળ શિક્ષણ પ્રણાલીની પરંપરા મુજબ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાછા ફરે તે માટે સમાવર્તન-સંસ્કાર સમારોહ યોજાયો હતો, જેમાં કેળવણી મંડળના મહામંત્રી શ્રી, ઉપપ્રમુખ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન અને મંત્રીશ્રી, શિક્ષણ નિયામક શ્રી, સહમંત્રી, હોસ્ટેલ કમિટીના પ્રમુખ અને મંત્રીશ્રી, શાળાના આચાર્ય તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, પોતાના ઉદ્દગાર વ્યક્ત કર્યા હતા, આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત થયેલા હૃદયોદ્દગાર અને રજૂ થયેલ વિદાયગીત તેમજ શાળાના સુચારૂ આયોજન થકી આખુંય વાતાવરણ પ્રસંગાનુંરૂપ ગમગીન બની ગયું હતું. અંતે શાળા પરિવાર વતી સમારોહને સફળ બનાવનાર તમામનો અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!