KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ નો સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ સમારોહ યોજાયો

તારીખ ૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

શ્રી કાલોલ દશા મોઢ વૈષ્ણવ સમાજ દ્વારા રામનવમીની ઉજાણી નિમિત્તે જ્ઞાતિજનોનો સ્નેહ મિલન સમારોહ તથા જ્ઞાતિના જ ધોરણ એક થી બાર અને તેથી વધુના ભણતરમાં ઊંચા પરિણામો લાવી ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓ માટેનો ઈનામ વિતરણ સમારોહ આજરોજ શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ પંચની વાડીમાં યોજવામાં આવ્યો હતો.રામનવમીની ઉજાણી નિમિત્તે આયોજિત ઈનામ વિતરણ સામારોહ અને મહાપ્રસાદના મુખ્યદાતા તરીકે સ્વ. હસમુખલાલ રમણલાલ શાહ, સ્વ. કોકિલાબેન હસમુખલાલ શાહ તથા સ્વ. રોહિતકુમાર હસમુખલાલ શાહના પરિજનો સમેત મુખ્ય મહેમાન પદે પુનમચંદ્દ મણીલાલ શાહ,સુભાષચંદ્ર શાંતિલાલ શેઠ, રમેશચંદ્ર શાંતિલાલ શાહ સાથે ગોપાલભાઈ નવનીતલાલ શેઠે ઉપસ્થિત રહી મંચ શોભાવ્યું હતું.સામાજિક જીવનનું મહત્વ- તેની જરૂરિયાતો સાથે પોતાના વિદ્યાર્થી કાળના સ્મરણો વાગોળતા મંચસ્થ મહાનુભાવોના પ્રાસંગિક વકતવ્યોની સાથે સાથે જ સો ઉપરાંત તેજસ્વી તારલાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાછલા બે દાયકાથી પ્રતિવર્ષ યોજાતો આ કાર્યક્રમ કોરોના કાળ દરમ્યાન બંધ કરવામાં આવ્યો હતો જે ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવતા જ્ઞાતિજનો અને ખાસ કરીને વિધાર્થીઓ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!