JETPURRAJKOT

7 એપ્રિલથી રાજકોટ અને પોરબંદર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

તા.૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 07 એપ્રિલ, 2023 થી 30 જૂન, 2023 સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે વિશેષ ભાડા પર (સપ્તાહમાં 6 દિવસ મંગળવાર સિવાય) સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09595/09596 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ (73 ટ્રીપ)

ટ્રેન નંબર 09595 રાજકોટ – પોરબંદર સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) રાજકોટથી દરરોજ 15.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.15 કલાકે પોરબંદર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09596 પોરબંદર – રાજકોટ સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) પોરબંદરથી દરરોજ 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.40 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, બાલવા, જામ જોધપુર, વાંસજાળીયા અને રાણાવાવ સ્ટેશને ઉભી રહેશે.

આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

સુનિલ કુમાર મીના,

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.

0281-2458262

[wptube id="1252022"]
Back to top button
error: Content is protected !!