ધો.8 માં અભ્યાસ કરતી તરૂણી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો. 8 માં અભ્યાસ કરતી તરૂણીને સ્કૂલેથી પરત આવતી વેળા રાત્રિના અંધારામાં હનુમાન મંદિર પાછળ લઇ બે વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી રાગિની (ઉ.વ. 34 નામ બદલ્યું છે) ની પ્રથમ પતિ થકીની પુત્રી ગિરીજા (ઉ.વ. 13 નામ બદલ્યું છે) અઠવાડિયા અગાઉ સિંગણપોર ખાતે રહેતી માસીના ઘરે ગઇ હતી. સગરામપુરા વિસ્તારની નગર પ્રાથમિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી ગિરીજાને અચાનક પેટમાં દુઃખાવો થતા તેની માસી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં ગિરીજાની સોનોગ્રાફી કર્યા બાદ ડોક્ટરોએ ગિરીજાને ગર્ભ હોવાનું કહેતા તેની માતા તથા માસી અને માસા ચોંકી ગયા હતા. રાગિનીએ ગિરીજાને તેના ગર્ભ અંગે પૃચ્છા કરતા તેણીએ જણાવ્યું હતું કે ગત 20 જાન્યુઆરીના રોજ સાંજના પાંચેક વાગ્યે સ્કૂલેથી છુટયા બાદ રીંગરોડ સિવિલ ચાર રસ્તાથી સિટી બમાં બેસી પાંડેસરા પિયુષ પોઇન્ટ ખાતે બસમાંથી ઉતરી ચાલતા-ચાલતા ઘરે જઇ રહી હતી. ત્યારે પાંડેસરાના નાગસેન નગરના હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે પડોશમાં રહેતો સુરજ ઉર્ફે સૂર્યા મંદિરની પાછળ અંધારામાં લઇ જઇ મારી મરજી વિરૂધ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ સુરજે ધમકી આપી હતી કે તુ આ વાત કોઇને કહેશો તો તને અને તારા પરિવારવાળાને મારી નાંખીશ એમ કહી ભાગી ગયો હતો. સુરજના કૃત્યથી ડરી જનાર ગિરીજીએ કોઇને પણ વાત કરી ન હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.