વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના ચાર રસ્તા પર આવેલ ભીમરાવ આંબેડકર સર્કલ પાસે ખેરગામનાં આગેવાનો દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં ભેગા મળીને ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ખુબ ધૂમધામથી કરવામાં આવી હતી.આ પ્રસંગે ડો. નીરવભાઈ જણાવ્યું હતુ કે તમામ આગેવાનોએ ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરોઅંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારે તો દેશની પ્રગતિને કોઈપણ રોકી નહીં શકે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ,નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,રમેશભાઈ પટેલ, તાલુકા સભ્ય વિભાબેન તાલુકા સભ્ય સુભાષભાઈ નેહલ પટેલ માજીસરપંચ અશ્વિનભાઈ પટેલ પૂરવ તલાવીયા ધનસુખભાઈ અમરતભાઈ પટેલ ભુલાભાઇ,ભગુભાઈ, માજીસરપંચ કાર્તિક પટેલ,નટુભાઈ,સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ
મિન્ટેશ પટેલ,ડો.નીરવ ગાયનેક,ડો.પંકજ,ડો.અમિત,ડો.કૃણાલ,નમ્રતા,અંકુર શુક્લા,ડો.રવિન્દ્ર,યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ,જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી,મોહનભાઇ નારણપોર,વિમલભાઈ વકીલ,માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંતભાઈ પટેલ,દલપત પટેલ,કીર્તિ પટેલ,નિતેશ પટેલ, રાકેશ પટેલ,વકીલ નિશાંતભાઈ પરમાર,જીગ્નેશ પટેલ,આશિષ ચૌહાણ,જગદીશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ
આપ ,હર્ષદભાઈ,શીલાબેન, રિંકુ આહીર સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે સર્કલનો શણગાર પાલીબા ડેન્ટલ ક્લિનિકનાં તબિબ ડો.રવિન્દ્ર પટેલ દ્વારા સર્કલને શણગાર કરી આપવામાં આવેલ હતો અને વડીલ નટુભાઈ દ્વારા ચા-કોફીની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી.