માળીયા હાટીના માં ગંજીવાડા માં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
માળીયાહાટીના માં ગંજીવાડા વિસ્તારમાં રહેતા નીતાબેન પ્રફુલભાઈ ભારથી ના બંધ મકાનમાં ગઈકાલે મોડી રાત્રે. તસ્કરો ત્રાટકયા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા ની માળિયા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમ ધમાટ ચાલુ કરી દીધો છે.
બનાવની વિગત એવી છે કે ગંજીવાડામાં રહેતા નીતાબેન પ્રફુલભાઈ ભારથી મકાન બંધ કરીને તેમના સગાને ત્યાં બહારગામ ગયા હતા જે ગઈકાલે પરત આવ્યા હતા ત્યારે મકાન ના તાળા અને નકૂચા તૂટેલા હતા અને ઘર ના કબાટ માં થી સોના ની 2 બુટી 2 વી ટી ચાંદી ના સાકરા રુદ્રાક્ષ ના પારા અને 1500 રૂપિયા રોકડા નો ચોરી થઈ છે
આ અંગે યાજ્ઞિક ભાઈ અને નીતાબેન પ્રફુલભાઈ માળીયા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે પી એસ આઈ ચાવડા એ ડોગ સ્કોર્ડ અને એફ એસ એલ ની ટીમ ની મદદ લઈ ને માળીયા પોલીસ ને સાથે રાખી આજે સવાર થી ઝીણવટ ભરી તપાસ સરું કરી છે.
રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.