MEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગે પોલીસ મથક સહિત સરકારી સંસ્થાઓમાં પાણી જન્ય રોગો બચવા સૂચનાઓ અપાઈ

વિજાપુર આરોગ્ય વિભાગે પોલીસ મથક સહિત સરકારી સંસ્થાઓમાં પાણી જન્ય રોગો બચવા સૂચનાઓ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગની ટીમે પોલીસ મથકો તેમજ પાલિકા સહીતની વિવિધ સંસ્થાઓ ની રૂબરૂ મુલાકાત લઈને પડેલા વાહનો અને ભંગાર વાહનો તેમજ પાણીનો ભરાવો થતી જગ્યાઓ ની તપાસ કરી તેનો નિકાલ કરવા અને પાણી જન્ય મચ્છરો ના ઉપદ્રવ થી બચવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને આરોગ્ય અધિકારી ડો વિજય ભાઈ પટેલ ડો દિવ્યા રાણા તેમજ ઇન્ચાર્જ અલ્પેશ પટેલ તેમજ મુકેશભાઈ ચૌહાણ સહીત ની ટીમે વસઈ પોલીસ મથક ને નોટિસ આપી ભંગાર વાહનો નો નિકાલ કરવા માટે જણાવાયું હતુ તેમજ તાલુકાના પોલીસ મથકના પીઆઇ વનરાજ સિંહ ચાવડા સાથે ભંગાર વાહનો પાણી નો ભરાવો કરતી જગ્યાઓ ની સફાઈ રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી પાલિકા ચીફ ઓફિસર ને પણ હાલ પ્રિ મોન્સૂન ની કામગીરી અંતર્ગત સૂચના ઓ આપી સાફ સફાઈ રાખવા માટે સૂચના ઓ આપવામાં આવી હતી ડેપો મેનેજર ને સ્ક્રેપ વસ્તુ માં વરસાદી પાણી નો ભરાવો ના થાય તે માટે જણાવવા આવ્યું હતુ આ આરોગ્ય હેલ્થ વિભાગના સૂત્રો એ જણાવ્યું હતુંકે શહેરમાં ટાયર પંચર તેમજ હોટલો ઉપર પાણી ભરી રાખતા લોકો સામે આરોગ્ય અને લોકોની સુખાકારી માટે પાલિકા એ સફાઈ માટે ધ્યાન રાખવા અને યોગ્ય તપાસ કરી નિકાલ કરવા બાબતે ચીફ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જુદી જુદી સરકારી સંસ્થાઓને પણ તેની જાણ કરવામાં આવી છે જેથી પાણી ના ભરાવા થી ઉભા થતા મચ્છર જન્ય રોગો થી બચી શકાય તે માટે દરેક સંસ્થાઓના અધિકારીઓ સાથે ચર્ચા ઓ કરી માર્ગદર્શન પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!