BHUJKUTCH

NRI ગૌ મહિમાથી ન્યારી ન્યારી જઈ ૧૫,૨૦૦ કિલો લીલી બાજરીનો ઘાસચારાનું ગૌ નિરણ કરાવ્યું ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિન માધ્યમથી.

30-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ તથા શ્રી. SSV – VD GROUP OF BHUJ 1985 – 87.ના માધ્યમથી NRI લંડન સ્થિત દાતા કુમારી રોશની કાનજીભાઈ ભંડેરી સાથે સાથે શ્રીમતી રતનબેન કુંવરજી ભુડીયા મૂળ નીવાસી ગામ સુખપર તા. ભુજ વાળા ના સંયુક્ત આર્થિક સહકારથી, મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપર પાંગળાપોળ અને ભુજ – નાગોર રોડ પર આવેલ શ્રી. ભુજ પાંજરાપોળ ખાતેના સુરદાસ, દિવ્યાંગ, અતિશય નબળા અને બીમાર ગૌવંશજોને બન્ને જગ્યાએ કુલ્લ ૧૫,૨૦૦ કિલો લીલી બાજરીનો ઘાસચારાનું નિરણ દાતા પરિવારજનો ની સાથે સાથે સમિતિના ગૌસેવકોને SSV – VD GROUP OF BHUJ ના સદસ્યો તથા સ્થાનિક ગૌપાલકો ની જહેમતથી સંપન્ન કરવામાં આવેલ એવું સમિતિના અધ્યક્ષ સચીનભાઈ દયારામભાઈ ગણાત્રા તથા પંકજકુમાર વ્યાસ ની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું પટેલ ચોવીસીના સ્વામીનગર સંપ્રદાયના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગૌ મહિમાથી પ્રેરાઈને જૂના બાળપણનાં સખાઓનો સંપર્ક કરી ગૌ નિરણ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ આ બન્ને સમિતિના મિત્રો સાથે મળીને સહકાર આપી સુપેરે પાર પાડયો હતો.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!